26/05/2016

The following amendments and latest provisions related under Labour Laws

1.The Factories Act -1948 : Lot of changes to be comes under such as in Welfare Measures i.e.Canteen, Creche etc., Appointment of Safety Officers etc., Do not take any action against the employer by Police to FIR, If any accident takes place leads to death etc.

2. The ESI Act - 1948 : 1.Wage ceiling for coverage of employees is up to Rs.15,000/-per month.Conveyance Allowance is excluded under the part of wage.3. Maintenance of Previous Records for Inspection up to 5 years only.

3. The EPF Act - 1952 :1.Under EDLI - The Benifit has been extended from Rs.1,00,000/- to Rs.1,30,000/-

4. The Workmen Compensation Act - 1923 : Compensation under1. Death i.e.Minimum is 1,20,000, Maximum is
Rs.4,25,000/- 2. Permanent Disablement - Minimum - Rs.1,40,000, Maximum is 5,40,000/- 2. Computation for calculation of compensation on wages has been extended from Rs.4,000/- to Rs.8,000/-.3. The Act can be amended as Employees Compensation Act. 4. Casual Labour are also covered under the act as per latest amendment.

5. The Payment of Wages Act - 1936 : Wages to be paid either through deposit in Bank or by cheque.

6. The Payment of Bonus Act - 1965 : Amendment has been proposed to extend wage ceiling from Rs.10,000/- to Rs.15,000/- and also for computation of Bonus from Rs.3,500/- to Rs.5,000/-.Minimum Bonus has also extended from 8.33% to 11%.

7. The Payment of Gratuity Act - 1972 : Maximum Payment under Gratuity has been extended from RS.3,50,000 to Rs.10,00,000/- 2. Compulsory Insurance coverage for employees under Gratuity Act.

8. The Industrial Dispute Act - 1947 : U/s 11a and impact of Sec2 a, any workmen will directly approaches to Labour Court and Tribunal Directly with out concilliation , if they are discharged, dismissed, terminated from service.

9. The Contract Labour Act - 1970 : Non Compliance under statutory provisions , contract labour to be deemed as employees of the priniciple employer.

07/04/2016

March ending at Mount Abu - (30th & 31st march 2016)


March ending at Mount :- 

 






 

Hotel Nakki Vihar ( Opp. Nakki Lake)  :-

 

 

Celebrating Holi in Mount Abu :-

 



 

 

Biking :-

 




 

  Cultural Programme on Rajashthan Divas by Mount Abu Municipality  :-

 



 

 

Rajashthani Lok Geet  :-

  
(1)  Rumal Mharo Leta Jaijo :- 

 

 
(2)  Mharo Gorband Nakhralo :- 

 


  
(3)  Mor Bole Re :- 

 

 
(4)  Ghoomar :- 

 


(5)  Upar Kaanch Ko Banglo- :- 

 

01/04/2016

PF CLAIMS

              If you submit your claim before 30th April 2016, it can be processed as a special case. Restrictions imposed by 10th February 2016 notification has been relaxed. The provisions however shall come into force from 01.MAY.2016
Check out the details here :-

લઘુતમ વેતન અધિનિયમ ૧૯૪૮ હેઠળ ના ખાસ ભથ્થાની જાહેરાત :- ( From 01/04/2016 to 30/09/2016)


06/01/2016

EPF WITHDRAWAL WITHOUT EMPLOYER SIGNATURE

Ref: HO circular dated 01.12.2015 :-

       The new UAN based claim forms NO 19,10C & Form 31. The employees whose Aadhar Number and Bank details have been seeded as KYC and have been duly verified by the employer using digital signature and the details in form 11 have been completed, will now be able to use these UAN based new claim forms. These UAN based claim forms do not require attestation by the employer, the member can directly submit the claim form to the concerned jurisdictional EPF office. There are three prerequisite conditions which must be fulfilled before submitting these new UAN based claim forms.
a) The AADHAR number and the bank account number of the employee are seeded as KYC and is digitally verified by the employer.
b) All the details of the employee are available in Form No 11 (New).
c) A cancelled cheque containing the name of the employee, bank account number and IFS code is attached with the claim form.

All other employees not fulfilling the above conditions shall continue to submit their claims for withdrawals in existing Form No 19, 10C & Form 31.

It is requested to please ensure proper KYC seeding and UAN activation in order to make this move successful. It is also requested to publicise this new facility among your employees.
 

UAN based PF withdrawal claim form NO 19 , 10C and 31

Form 19:-
Form10C:
Form 31:

06/11/2015

પ્રક્રુતિ ના ખોળે ગિરનારની લીલી પરિક્રમા



          ગિરનારની લીલી પરિક્રમા એટલે પ્રક્રુતિને ખોળે મહાલવાનો એક અનેરો અવસર. સોળે કળાએ ખિલેલી કુદરત ને માણવા માટે દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી યોજાતી ૩૬ કિ.મી.ની લીલી પરિક્રમા ભવનાથ તળેટીથી શરૂ થઈને ભવનાથ મહાદેવનાં દર્શન કરીને પાંચ દિવસે સમાપ્ત થાય છે
          ગિરનાર પર્વત વર્ષોવર્ષથી શ્રદ્ધાળુઓને સમગ્ર વર્ષ દરમિયાન આમંત્રિત કરતો રહે છે પરંતુ કારતક સુદ દેવ ઊઠી અગિયારસથી પૂર્ણિમા સુધીના પાંચ દિવસ આ પર્વતની પ્રદક્ષિણા વર્ષમાં માત્ર આ દિવસોમાં જ કરી શકાય છે તેથી આ દિવસો દરમિયાન અહીં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઊમટે છે. ગિરનાર પર્વતમાં વસી ગયેલા સિદ્ધપુરુષો, તપસ્વીઓ તેમજ સાધુઓની અનેક વાયકાઓ પ્રચલિત છે. હિંદુઓ માને છે કે તેત્રીસ કરોડ દેવો તેમજ ચોરાસી સંતાની અહીં બેઠક છે. દિવ્યાત્માઓ ઉપરાંત ભર્તુહરિ, અશ્વત્થામા તથા માર્કંડેય ઋષિ નિ:શરીર રૂપે હજુ પણ અહીં વિચરે છે!
          લગભગ ૩૬ કિ.મી.ની પ્રલંબ આ પદયાત્રાનો શુભારંભ ભવનાથ તળેટીમાં દામોદરકુંડ અને મૃગીકુંડમાં સ્નાન કરીને એક આચમન લઇ ભવનાથ મહાદેવ અને દુગ્ધેશ્વર મહાદેવનાં દર્શન કરીને થાય છે. ભવનાથથી પ્રયાણ કરી ઝીણાબાવાની મઢી તરફ જતાં પ્રથમ ઇશ્વેશ્વર મહાદેવનું મંદિર આવે છે. અહીં બુદ્ધ વિહારનો પાયો ઉત્ખન્ન દરમિયાન મળી આવ્યો હતો.
          ચારચોકથી એક રસ્તો ઝીણાબાવાની મઢી તરફ જાય છે અને બીજો રસ્તો જમણે એકાદ કિ.મી. દૂર જંગલમાં રાણિયા કૂવા પાસે મહાદેવના સ્થળે પહોંચે છે. આ સ્થાન વનરાજીથી ભરપૂર છે. જંગલનું વાતાવરણ અને વનકેસરીની ગર્જના અને પંખીઓનો કલરવ અહીં સહજ છે. ચારચોકથી ઝીણાબાવાની મઢીએ પહોંચાય છે.

          હાજરાહજૂર સરકડિયા હનુમાનના સ્થાનકના ઘણા પરચા મળ્યાની વિગતો ભાવિકોમાં આજે પણ ચર્ચાય છે. સૂરજકુંડમાં સ્નાન કરી શ્રદ્ધાળુઓ માલવેલામાં મહાદેવનાં દર્શન કરી રાત્રિ રોકાણ કરે છે. અહીં માલવેલાની તળેટીમાંથી રામગંગા નીકળે છે. આ નદીનું મૂળ પુરાઓમાંથી મળી આવે છે. અહીં પૌરાણિક કાળમાં પરશુરામનો આશ્રમ હતો તેમ કહેવાય છે. સૂર્યકુંડ પણ અહીં જ છે.
          માલવેલાથી નળપાણીની ઘોડી-પર્વત ચઢીને નળપાણીની જગ્યામાં વિસામો કરી યાત્રાળુઓ હેમાજલિયા થઇ બોરદેવી પહોંચે છે. જયાં બોરદેવી માતાજીનું પુરાણું મંદિર છે. આ મંદિરના સ્થાને બોરડીનું વૃક્ષ હતું. ત્યાં માતાજી પ્રગટ થતાં બોતદેવી કહેવાયાં. બાજુમાં લાખા ખેડી નામે જીર્ણ ખંડેર છે. અહીંથી કેટલાક અવશેષો મળી આવ્યા છે. તેમાં એક સ્તુપ છે, જેની પાસેથી માટીના પાત્રમાં ત્રાંબાનું પાત્ર તેમાં ચાંદીનું પાત્ર અને સુવર્ણની એક ડબ્બી પણ મળી આવી છે.

          આ અંતિમ પડાવ છે. બોરદેવીના સ્થાન પરથી ગિરનાર પર્વતના ગોરખનાથની ટૂક, દત્તાત્રેયની ટૂક, કમંડળ ટૂક, કાળકાની ટૂંક તેમજ અનસૂયા ટૂકના પાવન દર્શન થાય છે. અંતે બોરદેવીથી ખોડિયાર ઘોડી ચઢીને ભવનાથની તળેટીમાં પુન: પહોંચાય છે. આમ સમગ્ર પરિક્રમાનો કષ્ટદાયક પાવક માર્ગ સંપન્ન થાય છે અને જયારે શ્રદ્ધાળુઓ ભાવસભર બની નત મસ્તકે ભવનાથ મહાદેવજીનાં દર્શન કરી વિદાય લે છે, ત્યારે પ્રત્યેકના મસ્તિકમાં આ ભવની પરિક્રમા દરમિયાન આ સુભગ પાંચ દિવસના સમન્વયની ધન્ય ઘડીઓની દિવ્ય અનુભૂતિનાં કેટલાંય સંભારણાં સચવાઇ રહે છે, જે તેમની જીવનયાત્રા દરમિયાન ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધાને દૃઢ બનાવતી રહે છે!


          ગિરનારની આસપાસનો જંગલ વિસ્તાર નાગા સાધુઓનુ રહેણાંક છે. તેઓના દર્શન તેમજ તેમના જીવનને નજીકથી નિરખવાનો મોકો ગિરનારની લીલી પરિક્રમા દરમ્યાન જ મળેશે જે ગુમાવવા જેવો તો નથીજ.
!! જય ભોલેનાથ જય ગિરનારી !!

21/09/2015

ગુજરાત સરકારની "બેન" !!!!

          અરે યાર! આ ગુજરાત સરકારને તો શુ થઈ ગયુ છે કે "બેન" ઉપર "બેન" લગાવે જાય છે. ભત્રીજાઓને વશમાં રાખવા આજકાલ ફોઇબા ના રાજમાં "બેન" ની જાણે મૌસમ ચાલી છે. ફરી એક વાર ગુજરાતમાં "નેટબેન". મોદીજી ડીજીટલ ઇન્ડીયા બનાવવાની વાતો કરે છે પણ અહીં તો છાશવારે "ઇન્ટરનેટબેન" લગાવી દેવાય છે. યાર! આતો જાણે વાણી સ્વાતંત્રતાના હક્ક ઉપર તરાપ મારીને ગુજરાત સરકાર હાથે કરીને પોતાને વામણી પુરવાર સાબિત કરતી હોય તેવુ નથી લાગતુ ?
          આમતો જ્યારથી અનામત આંદોલન ચાલુ થયુ છે ત્યારથી સરકારમાં બેઠેલા મંત્રીઓ અને ધારાસભ્યો ( હાર્દિકની ભાષામાં "બાઘડબિલ્લા" ) માટે "નિવેદનબેન" લાગૂ થઇ ગયેલુ જ છે. સૂરત, બારડોલી અને નવસારીમાં કલમ ૧૪૪ લાગૂ કરી દઇને "ટોળાબેન". રેલી કે સરઘસ કાઢવા સામે જાહેરનામુ બહાર પાડીને "રેલીબેન".
          ગુજરાત સરકારની "બેન" થી બચવા હાર્દિક વળી "બેનો" ને જ હાથમાં થાળી વેલણ પકડાવીને  મેદાનમાં લઇ આવ્યો. અરે યાર ! આ વેલણ તો અત્યાર સુધી ઘરમાં જ વાગતુ હતુ હવે તો સરેઆમ...અને એ જોતાં તો ભવિષ્યમાં વળી "થાળીબેન" કે "વેલણબેન" આવી પડે તો નવાઇ નહી.
          બસ હવેતો બહુ થયુ ! ગુજરાતનો આવો માહોલ જોઇને કુદરતે ય "મેઘાબેન" હટાવી લઇને સર્વત્ર મેઘમહેર કરી દીધી છે. જાતિ આધારીત "અનામતબેન" કરીને સરકારે પણ નક્કર દિશામા પગલા લઇને આર્થિક સ્થિતિ આધારીત અનામત વિશે કઇક વિચારવુ જોઇએ એવુ તમને નથી લાગતુ ?

મુખવાસ ઃ-

          અને હા ! પેલા દુનિયાભરના સરદારજીઓને હજી પણ નથી સમજાણુ કે અમે એવુ તે શુ કર્યુ છે કે આખુ ગુજરાત અમારી જયજયકાર કરે છે......જય સરદાર....જય સરદાર....જય સરદાર.

અંતમાં ઃ-

           તમારે પણ આવી કોઇ "બેન" વિષે કંઇક કહેવુ હોયતો નીચે કોમેન્ટબોક્ષમા જરુરથી લખજો.

17/09/2015

EPFO Mobile App for Employees Provident Fund members & Employers

  1.  Mobile Application is useful to employers, employees and pensioners. 
  2. The EPF members / subscribers can activate UAN (Universal Account Numbers) from the comfort of their mobile phones. 
  3. As an EPF subscriber you can access your EPF account for viewing monthly credits through the passbook option and can also view your EPF account details available with EPFO.
  4. The EPF pensioners have been given the facility to access the pension disbursement details through this mobile app.
  5. The employers can view the PF remittance details.
 EPFO’s new mobile application is available on EPFO’s website. Click on the below link to download PF mobile app.

EPFO's MOBILE APP DOWNLOAD

 


27/05/2015

TDS on PF withdrawal


Instructions for deduction of TDS on withdrawal from provident fund (FORM 19). The provisions will be effective from 01.06.2015.


The Employee's Provident Fund Organisation vide its order No. 5931 dated 21.05.2015 available on its website at Serial No. 110 (2015-16), has circulated the provisions for deduction of TDS at the time of payment of the accumulated PF balance. The provisions are mentioned below in a simplified version for your ready reference and appraisal to all the employees/provident fund members:

i. No TDS on payment of PF withdrawal of less than Rs. 30,000.
ii. No TDS on payment of PF withdrawal if service rendered by the member is more than FIVE years.
iii. No TDS on following reasons of leaving service:
a. Transfer of funds
b. Termination of service (ill health/Closure/Cause beyond the control of the employee)
iv. No TDS on the payment of PF withdrawal, if the employee submit his PAN along with Form 15G (in case of age below 60 years)/15H (in case of senior citizen aged 60 years and above).
• Form 15G in case of amount is more than Rs. 2,50,000 and service within 5 years will not be accepted .
• Form 15H in case of amount is more than Rs. 3,00,000 and service within 5 years will not be accepted.
# Revised Form-19 is available in all EPF offices free of cost.

TDS will be deducted at the following rates:
a. If service rendered is less than FIVE years and the Employee has submitted PAN but not submitted Form 15G/H, the rate of TDS will be @ 10%
b. If service rendered is less than FIVE years and no PAN is submitted by the member the TDS will be @ 34.608%.

for more information click here :- http://www.epfindia.com/Circulars/Y2015-16/WSU_IncomeTax_5931.pdf

11/03/2015

Amendment in EPF & Misc provision Act 1952 wef Jan 2015



Please take a note on new Amendment in EPF & MISC.PROV ACT 1952, where in EPF Challan in A/c. 2, previously you are paying at 1.10% of EPF Salary minimum to Rs. 5/- per month. While w.e.f. Jan 2015 onwards it will be 0.85% and minimum Rs. 500/- per month. And Rs. 75/- per month in non-functioning establishment Where in A/c. 22 percentage of 0.01% will be the same, but amount is change. Previously minimum Rs.2/- was paid now wef Jan 2015 it will  be Rs. 200/- per month. And Rs. 25/- in non-functioning establishment.






25/10/2014

PF UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) કેવી રીતે સક્રિય કરશો [How to activate your Universal Account Number (UAN)]



યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) શું છે?
એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) દ્વારા તાજેતરમાં ઇપીએફઓના તમામ સભ્યોને એક અન્ય નંબર ફાળવવામાં આવેલ છે જે UAN એટલે યુનિવર્સલ એકાઉન્ટ નંબર છે. UAN ઇપીએફઓના દરેક સભ્ય માટે લાભદાયી થશે.  

UAN ના લાભો
૧,     યુએએન દ્વારા તમે તમારા એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો તેમજ પાસબુક અને યુએએન કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો.
૨,    EPF ટ્રાન્સફર ખૂબ જ સરળ થશે અને ઓછા સમય લેશે.
૩,   તમારી કેવાયસી માહિતી અપડેટ કરી શક્શો

યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ક્યાંથી મેળવશો?
સૌ પ્રથમ ઇપીએફઓ દ્વારા યુએએન નંબર મળ્યો છે કે નહીં? ( UAN સ્ટેટસ) જાણવા નીચેની લીંક ક્લિક કરો

ત્યારબાદ જે પેજ ખૂલે તેમાં માગેલી માહિતી ભરી દો. તેમાં રાજ્યનું નામ, શહેરનું નામ, એસ્ટાબ્લિશમેન્ટ કોડ અને પીએફ એકાઉન્ટ નંબર ભરવો પડશે અને ચેક સ્ટેટસ પર ક્લિક કરો. ક્લિક કરતા જ તમને એક મેસેજ દેખાશે, જેમાં જણાવાયું હશે કે તમને યુએએન નંબર મળ્યો છે કે નહીં. જો તમને યુએએન નંબર મળ્યો ન હોય તો  તમે આ અંગે તમારી કંપની તરફથી માહિતી મેળવી શકો છો.
જો તમોને EPFદ્વારા UAN ફાળવવાંંમાં આવેલ હોય તો તમારા નોકરી દાતા કંપની પાસેથી તમારો UAN મેળવી લેવો.
 
યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) એક્ટિવેટ કેવી રીતે કરશો?
STEP 1 :- નોકરી દાતા કંપની પાસેથી તમારો UAN મેળવી તમારે તેને એક્ટિવેટ કરવો પડશે. એક્ટિવેટ કરવા માટે નીચે લિંક પર ક્લિક કરો 

STEP 2- લિંક પર ક્લિક કર્યા બાદ એક પેજ ખુલશે, જેમાં યુએએન નંબર, મોબાઇલ નંબર, રાજ્ય, સિટી,એસ્ટાબ્લિશમેન્ટ કોડ અને પીએફ એકાઉન્ટ નંબર નાંખવાનો રહે છે. બધી વિગતો ભર્યા બાદ વેરિફિકેશન કોડ નાંખીને ‘GET PIN’ પર ક્લિક કરો. તેના પર ક્લિક કર્યા હાદ 5 મિનીટમાં જ તમારા મોબાઇલ માં SMS મારફતે એક પિન આવશે, જેને ફોર્મમાં નાંખીને સબમિટ કરવાનું રહેશે. 
STEP 3- સબમિટ કર્યા બાદ જે વિન્ડો ખુલશે, તેમાં તમારૂં નામ, પિતાનું નામ, કંપનીનું નામ, યુએએન અને જન્મ તારીખ લખેલી હશે. તેમાં તમારે પોતાનાં યુએએન એકાઉન્ટમાં લોગ ઇન કરવા માટે એક પાસવર્ડ નાંખવાનો હોય છે અને સાથે જ તમારું ઇમેલ આઇડી પણ નાંખવાનું હોય છે. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરતા જ તમને એક ઇમેલ આવશે, જેમાં એક્ટિવેશન લિંક હશે. તમારા ઇમેલ આઇડીમાં જઇને એ લિંક પર ક્લિક કરો. ક્લિક કરતા જ ઇપીએફઓની વેબસાઇટનું એક પેજ ખુલશે, જેના પર ઇમેલ આઇડી કન્ફર્મેશનનો મેસેજ મળી જશે.

હવે, તમારા યુએએન અને પાસવર્ડ સાથે લોગ ઇન કરો. લોગ ઇન કરવા માટે આ લિંક પર ક્લિક કરો.

અહીં તમારો યુએએન અને પાસવર્ડ નાંખો અને લોગ ઇન બટન પર ક્લિક કરો. ક્લિક કરતા જ તમારી સામે એક પેજ ખુલશે, જે તમારા એકાઉન્ટનું પેજ હશે.

તમારું એકાઉન્ટ એક્ટિવેટ થઇ ગયા બાદ તમે તમારું યુએએન કાર્ડ અને પાસબુક ડાઉનલોડ કરી શકો છો. પાસબુક દ્વારા તમે જોઇ શકો છો કે તમારા પીએફ એકાઉન્ટમાં કેટલા રુપિયા જમા છે. તેમાં તમારો મેમ્બર આઇડી અને એસ્ટાબ્લિશમેન્ટ કોડ પણ લખેલો હોય છે. તેમાં તમે મોબાઇલ નંબર, ઇમેલ આઇડી અને પાસવર્ડ પણ બદલી શકો છો. 
ટ્રાન્સફર ક્લેમ ઃ- હાલ ઇપીએફઓની વેબસાઇટ પર આ ટેબ એક્ટિવેટ નથી કરાઇ. તેને ટૂંક સમયમાં જ એક્ટિવેટ કરવામાં આવશે.
આપને આ માહીતી ઉપયોગી થઇ હશે. આપના અભિપ્રાય નીચે Comment મા લખી જણાવજો.

05/10/2014

PROVIDENT FUND (EPFO) WAGE CEILING TO Rs. 15000/=

                           The Provident Fund (EPFO) department, in its circular dated 28/08/2014, has notified the wage ceiling enhancement to Rs 15,000 per month from Rs 6,500 per month, effective 01-Sep-2014. Please ensure that PF deduction and contribution are calculated as per the new wage ceiling of Rs 15,000 from Sep 2014 onwards.




23/08/2014

અરે દિવાનો..! મુઝે પહેચાનો...! મૈ હૂ - ડોન (આહવા-ગુજરાત)

ડોન.       

આ નામ સાંભળતાં જ આપણને એવી ફીલિંગ થઈ આવે કે અમિતાભ બચ્ચન કે પછી શાહરુખ ખાનની ફિલ્મની વાત હશે. જોકે આ ડોન કોઈ ફિલ્મ નથી પણ સ્થળ છે. ચારે કોર લીલી વનરાજી અને ઠંડો-ઠંડો પવન લહેરાતો હોય... કોઈ પણ વ્યક્તિ રોમૅન્ટિક મૂડમાં આવી જાય. નેચર-લવર્સને સ્થળ જ છોડવાનું મન ન થાય એવું ગુજરાતનું આ નવું હિલ-સ્ટેશન ડોન છે જ્યાંનું વાતાવરણ ખૂબ જ આહ્લાદક છે.


કુદરતી સંપદાથી ભરપૂર અને લીલાછમ એવા ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું આ ગિરિમથક આમ તો છે આદિ-અનાદિકાળથી, પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી જ આ સ્થળ ચર્ચામાં આવ્યું છે. ગુજરાતના મોટા ભાગના પ્રકૃતિપ્રેમીઓ કે પછી નાગરિકોને પણ ડોન નામનું હિલ-સ્ટેશન ગુજરાતમાં છે એની કદાચ ખબર નહીં હોય. આ હિલ-સ્ટેશન હજી ડેવલપ થયું નથી અને ત્યાં પહોંચવા માટે હજી માંડ સવા-દોઢ વર્ષ પહેલાં જ પાકો રસ્તો બન્યો છે.

ગુજરાતનું ગિરિમથક ડોન મહારાષ્ટ્રના નાશિક જિલ્લા અને ગુજરાતના ડાંગ જિલ્લાની સરહદ પર પહાડ પર આવેલું ગામ છે. હાલના ગુજરાતના એકમાત્ર હિલ-સ્ટેશન સાપુતારાની જેમ આ ડોન ગામ પણ ૧૦૦૦ મીટરની ઊંચાઈએ આવેલું છે. આ એક એવું ઐતિહાસિક અને પૌરાણિક સ્થળ છે જેની સાથે ભગવાન ભોળા શંભુ, ભગવાન રામચંદ્ર, સીતાજી, હનુમાનજી, અંજનીમાતા, ગુરુ દ્રોણની લોકવાયકાઓ અને દંતકથાઓ જોડાયેલી છે. આ સ્થળ ટ્રેકિંગ માટે બેસ્ટ છે અને હવા ખાવા માટે આ અત્યંત રળિયામણું સ્થળ છે. અહીં આવેલા સહેલાણીઓ તો એમ કહે છે કે નૈનીતાલ, મસૂરી કે પછી માઉન્ટ આબુને પણ ભૂલી જાઓ એવું રળિયામણું સ્થળ ડોન છે.

આ સ્થળ સાપુતારાથી પણ ૧૭ મીટર ઊંચું છે અને સાપુતારા કરતાં દસગણો વિસ્તાર ડોનનો છે. ડોન ગામ ડુંગર પર આવેલું છે અને અહીં ચારે તરફ ડુંગરો જ છે. અહીં ગુરુ દ્રોણની ટેકરી છે, અંજની પર્વત-અંજની કુંડ છે જે હનુમાનજીનું જન્મસ્થળ ગણાય છે. આ સ્થળે અંજનીમાતાએ ભગવાન શિવની આરાધના કરી હતી. આ સ્થળે ભગવાન રામચંદ્રજી અને સીતામાતાનાં પગલાં છે અને ડુંગર નીચે પાંડવ ગુફા આવેલી છે. પાંડવોને જ્યારે ૧૪ વર્ષ વનવાસ વેઠવો પડ્યો હતો ત્યારે આ સ્થળે તેમણે વનવાસ ભોગવ્યો હતો. ડોનમાં એટલી ઠંડક છે કે ઉનાળામાં પણ ગામના રહીશોને ગોદડાં ઓઢીને સૂવું પડે છે. અહીં વાદળાં નીચે ઊતરી આવે છે. આ સ્થળે સહેલાણીઓ આવે છે, પરંતુ એટલા બધા આવતા નથી કેમ કે હજી આ સ્થળને ડેવલપ કરવાનું બાકી છે.

ગુજરાતના ડાંગ જિલ્લામાં ડોન નામે સુંદર હિલ-સ્ટેશન શોધાયું છે ત્યારે ગુજરાત સરકારના પ્રવાસન પ્રધાન સૌરભ પટેલે તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં એવી ખાતરી આપી હતી કે ગુજરાત સરકાર ડોનને  ડેવલપ કરશે. આ એક સુંદર સ્થળ છે અને સરકાર ડોન વિશે સર્વે કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં હિલ-સ્ટેશન સાપુતારા, ગીરા ફૉલ્સ ઉપરાંત શબરીધામ, પમ્પા સરોવર, ભેંસકાત્રી નજીક આવેલું માયાદેવીનું મંદિર, વઘઈ, કિલાડ, મહાલ જેવાં પ્રવાસન-સ્થળો આવેલાં છે. ચોમાસાની શરૂઆત થતાં જ સહેલાણીઓ ડાંગમાં ઊમટી પડે છે. નાનકડો ડાંગ જિલ્લો ચોમાસામાં લીલોછમ બની જાય છે. અહીં ઠેર-ઠેર વહેતાં ઝરણાં અને ડુંગર પરથી વહેતા નાના-મોટા પાણીના ધોધ વાતાવરણને આહ્લાદક બનાવે છે.

કેવી રીતે જવાય?

ડાંગ જિલ્લામાં આવેલું હિલ-સ્ટેશન ડોન આહવાથી અંદાજે ૩૩ કિલોમીટર દૂર છે. આહવા થઈને ચિંચલી જવાનું. ત્યાંથી ગડદ ગામ જવાનું અને ગડદ ગામથી પહાડ તરફ જતો રસ્તો ડોન તરફ દોરી જાય છે.

05/07/2014

અમરનાથ યાત્રા - : પ્રકૃતિ દર્શન અને અધ્યાત્મનો અનેરો યોગ

                       કર્મયોગી ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં ઈશ્વરના વિરાટ સ્વરુપ વિશે કહ્યું છે કે હું જ જગત અને પ્રકૃતિના કણ-કણમાં વ્યાપ્ત છું. ઈશ્વરના આ વિરાટ સ્વરુપ અને સૌંદર્યની અનુભૂતિ થાય છે અમરનાથ યાત્રામાં. અમરનાથ યાત્રા ધાર્મિક દ્રષ્ટિએ પુણ્ય લાભ આપે છે સાથે-સાથે આ પવિત્ર સ્થાનમાં વ્યાપ્ત કુદરતી સૌંદર્ય પણ અહીં આવનારને અભિભૂત કરી દે છે. આ પ્રાકૃતિક દ્રશ્યો જોવાથી મળતી આનંદમયી અને આધ્યાત્મિક અનુભૂતિ દરેક તીર્થયાત્રીને ઊંડી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. જેના દ્વારા તેનામાં તાજગી અને માનસિક ઊર્જાનો સંચાર થાય છે. આ જ કારણ છે કે આ તીર્થોની ઊંચાઇ પરથી નીચે ઊતરતો દરેક શ્રદ્ધાળુ એ માનસિક શાંતિનો અહેસાસ કરે છે કે તેણે પહાડોની ઊંચાઇને સ્પર્શીને જીવનની ઊંચાઇઓ પ્રાપ્ત કરી છે. પુરાણોમાં લખવામાં આવ્યું છે કે માનવે રાગ, દ્વેષ, મોહ, માયા જેવા લૌકિક બંધનોમાંથી છૂટકારો મેળવવા તીર્થયાત્રા કરવી જોઇએ. ત્યાં સાધુ-સંતોની સંગતથી ઈશ્વરીય તત્વનો અનુભવ મેળવવો જોઇએ. માટે યથાસંભવ આ પુણ્યસભર અવસરનો આધ્યાત્મિક લાભ ચોક્કસ લેવો જોઇએ.

                     અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં શ્રીનગરથી  ૧૩૫ કિલો મીટર દૂર સમુદ્રતટ કરતાં ૧૩,૬૦૦ ફૂટ જેટલી ઊઁચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ  ગુફા ૧૧ મીટર જેટલી ઊંચી છે. અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાનું એક છે. અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે કેમકે અહીં જ ભગવાન શિવે માઁ પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતું.
                    અહીંની મુખ્ય વિશેષતા પવિત્ર ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગનું નિર્માણ થવું છે. પ્રાકૃતિક હિમથી નિર્મિત થવાને કારણે આને બર્ફાની બાબા પણ કહે છે. અષાઢી પૂનમથી શરૂ કરી બળેવ સુધી પૂરા શ્રાવણ મહીનામાં થવા વાળા પવિત્ર હિમલિંગ દર્શન માટે લાખો લોકો અહીં આવે છે. ગુફાનો પરિઘ લગભગ દોઢ સો ફૂટ છે અને આમાં ઊપરથી બરફના પાણીના ટીપાં ઘણી જગ્યાએ ટપકતા રહે છે. અહીં એક એવી જગ્યા છે, જેમાં ટપકતા હિમ ટીપાંથી લગભગ દસ ફૂટ ઊંચું શિવલિંગ બને છે. ચન્દ્રના ઘટવા-વધવા સાથે આ બરફનો આકાર પણ વધ-ઘટ થતો રહે છે. શ્રાવણી પૂર્ણિમાએ તે પોતાના પૂરા આકારમાં આવી જાય છે અને અમાસ સુધીમાં ધીરે-ધીરે નાનું થઈ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ શિવલિંગ નક્કર બરફનું બનેલું હોય છે, જ્યારે ગુફામાં સામાન્ય રીતે કાચો બરફ હોય છે જે હાથમાં લેતાં જ ચૂરેચૂરો થઈ જાય છે. મૂળ અમરનાથ શિવલિંગથી અમુક ફૂટ દૂર ગણેશ, ભૈરવ અને પાર્વતીના એવા જ અલગ અલગ હિમખંડ છે.
                      એવી લોકવાયકા પ્રચલિત છે કે આ જ ગુફામાં માતા પાર્વતીને ભગવાન શિવે અમરકથા સંભળાવી હતી, જેને સાંભળીને સદ્યોજાત શુક-શિશુ, શુકદેવ ઋષિના રૂપમાં અમર થઈ ગયાં હતાં. ગુફામાં આજે પણ શ્રદ્ધાળુઓને કબૂતરોની એક જોડી દેખાઈ જાય છે, જેને શ્રદ્ધાળુ અમર પક્ષી કહે છે. તે પણ અમરકથા સાંભળી અમર થયા છે. એવી માન્યતા પણ છે કે જે શ્રદ્ધાળુઓને કબૂતરોની જોડી દેખાય છે, તેમને શિવ પાર્વતી પોતાના પ્રત્યક્ષ દર્શનથી ધન્ય કરી તેને મોક્ષ પ્રદાન કરે છે. એમ પણ માનવામાં આવે છે કે ભગવાન શિવે તેમની અર્ધાંગિની પાર્વતીને આ ગુફામાં એક એવી કથા સંભળાવી હતી, જેમાં અમરનાથની યાત્રા અને તેના માર્ગમાં આવનારા અનેક સ્થળોનું વર્ણન હતું. આ કથા કાલાંતરમાં અમરકથા નામથી વિખ્યાત થઈ.
                         અમરનાથ યાત્રાએ જવાના બે રસ્તા છે. એક પહેલગામ થઈ અને બીજો  બાલતાલથી. એટલે કે પહેલગામ અને બાલતાલ સુધી કોઈ પણ વાહન દ્વારા પહોંચો, અહીંથી આગળ જવા માટે પોતાના પગોનો જ ઉપયોગ કરવો પડે છે. અશક્ત કે વૃદ્ધો માટે સવારીનો પ્રબંધ કરાય છે. પહેલગામથી જતો રસ્તો સરળ અને સુવિધાજનક ગણાય છે. બાલતાલથી અમરનાથ ગુફાનું અંતર કેવળ ૧૪ કિલોમીટર છે અને આ બહુ જ દુર્ગમ રસ્તો છે. અને સુરક્ષાની દૃષ્ટિ એ પણ સંદિગ્ધ છે. આ માટે સરકાર આ માર્ગને સુરક્ષિત નથી માનતી અને મોટાભાગના યાત્રિકોને પહેલગામના રસ્તે અમરનાથ જવા માટે પ્રેરિત કરે છે. પણ રોમાંચ અને જોખમ લેવાનો શોખ ધરાવતા લોકો આ માર્ગે યાત્રા કરવાનું પસંદ કરે છે. આ માર્ગ દ્વારા જવા વાળા લોકો પોતાના જોખમે યાત્રા કરે છે.
                         આ વખતે અમરનાથ યાત્રા ૨૮ જૂન ૨૦૧૪ થી શરૂ થઇશે. જે ૧૦ ઓગસ્ટ ૨૦૧૪ એટલે કે ૪૪ દિવસો સુધી ચાલશે. તો તૈયાર થઇ જાઓ...બાબા ને બૂલાયા હૈ......બર્ફાની બાબાના દર્શન કરવા
          અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશન ફોર્મ માટે અહી ક્લીક કરો ઃ- અમરનાથ યાત્રા રજીસ્ટ્રેશન ફોર્મ

                                     જય બર્ફાની બાબા.........જય ભોલેનાથ.....

23/06/2014

તુલસીશ્યામ નજીક એન્ટીગ્રેવીટી એરીયા - એક રહસ્ય


ગીરના પ્રવાસે જતા પ્રવાસીઓ માટે તુલસીશ્યામ આમતો ગરમ પાણીના ઝરા માટે જાણીતું છે. પણ, તેમાં છેલ્લાં થોડાક સમયથી એક નવું કૌતુક ઉમેરાયું છે. થોડાક સમયથી તુલશીશ્યામથી ત્રણ કિમી દૂર રહસ્યમય ઢોળાવે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું છે. જેની ખાત્રી કરવા અમો તુલસીશ્યામ પહોચ્યા, તુલસીશ્યામ પાસે આવેલા એક ઢોળાવ પર અમે કાર બંધ કરી ઉભી રાખી તો અમારા આશ્ચર્ય વચ્ચે કાર નીચે ઉતરવાને બદલે પાછળની સાઇડ આપોઆપ ચડવા લાગી. એટલું જ નહીં અમે રોડ પર પાણી રેડયું તો તે પણ નીચે ઉતરવાને બદલે ઢાળ ચડવા લાગ્યું. મોરબીના ઉદ્યોગપતિ રતિલાલ પરમારે આ દીશામાં ખૂબ પ્રયત્નો કરેલ છે. રતિભાઈએ આ સમગ્ર ઘટનાનું રેકોર્ડિંગ કરી લીધું અને રાજ્ય સરકારને મોકલ્યું છે કે આ સ્થળ કંઈક અલગ જ છે. આમાં તપાસ કરવી જોઈએ. વૈજ્ઞાનિકો એ પણ આ ઘટનાને મહત્વ આપી આ રહસ્ય ઉકેલવા જોઇએ. રતિભાઈને તેમના આ પ્રયત્નો બદલ ખૂબ-ખૂબ ધન્યવાદ.
આ ઢાળનો લાઈવ વિડિયો રતિભાઈએ યુ-ટ્યૂબ પર પણ મૂક્યો છે. જે નીચે ક્લિક કરી જોઇ શકશો.
youtube.com/watch?v=36vYPRmJelo

 રતિલાલ વાલજીભાઇ પરમાર એક વિરલ વ્યકતિત્વ...... વધુ જાણવા નીચે ક્લીક કરો.
http://www.ratilalparmar.com/

અને હા... ઉપર મુજબ નો બીજો એક વિસ્તાર ભારત માં લેહ-લદાખ માં લેહથી ૨૫ કિ.મી. દૂર કારગીલ રોડ પર આવેલ છે. જેની આ રહી તસ્વીર.